જીવનની અખંડતા

ત્રણ  ભાગમાં  વિભાજીત  પ્રસ્તુત  ગ્રંથ  કૃષ્ણમૂર્તિના  સંદેશના અભિનવ  પાસાને  વર્ણવે  છે . પ્રથમ  વિભાગમાં  માનવજાત  હજારો  વર્ષ  સુધી  શા  માટે  ગૂંચવણભરી  દયનીય  દશામાં  જીવી  તેના  કારણોની  શોધ  છે . પ્રખ્યાત  ભૌતિકશાસ્ત્રી   ડેવિડ  બોહમ  અને  મનોવિશ્લેષક  ડેવિડ શેનબર્ગ સાથે  ની  ચર્ચાના  તારણ  રૂપે  તેનું  મુખ્ય  કારણ  એકજ  વિચારધારામાં ટેવાઈ ગયેલા  મનના  ટુકડાઓ  જ  છે .

બીજા  વિભાગમાં  કૃષ્ણમૂર્તિના  જાહેર  પ્રવચનો  છે . જેમાં  તેઓ  દર્શાવે  છે  કે  આપણું મન નિરંતર એટલા બધા વિચારોથી ઘેરાયેલું છે કે તેને  કશાય  આવરણ  વિનાની  મૂળ  સ્થિતિનો  સ્વતંત્રતાનો  અહેસાસ  જ  થતો  નથી . ત્રીજો  વિભાગએ  પ્રશ્નના  જવાબ  સાથે  સંકળાયેલી  છે  કે  ‘કૃષ્ણમૂર્તિ  ના  શિક્ષણને  કઈ રીતે  સાચું  સ્વીકારવું  જયારે  તેઓ  ‘સત્યના  મૌન ’ ની  અથવા  ‘ભ્રમણાઓના  ઘોંઘાટ ’ ની  વાત  કરે  છે ?’

મૂળ અંગ્રેજી શીર્ષક : The Wholeness of Life (Transformation of Man)
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ |  પૃષ્ઠો : ૪૭૫

Also available in