વિચારજાળ

૧૯૮૧ માં  સ્વિટ્ઝર્લૅન્ડ  તથા  એમ્સ્ટરડેમમાં  અપાયેલા  આ  પ્રવચનોમાં  કૃષ્ણમૂર્તિ  માનવ મનને  પ્રોગ્રામ  કરેલા  કમ્પ્યુટર  સાથે  સરખાવે  છે. પ્રત્યેક  માનવી  પોતાના  એ  ‘પ્રોગ્રામ’  મુજબ  જ  વિચારે  છે . પ્રત્યેક  વ્યક્તિ  આ  વિચારજાળના  આધિપત્ય  હેઠળ  જકડાયેલી  છે . આપણે  જેને  ‘વ્યક્તિત્વ’ ‘અહમ’ અથવા ‘હું’ કહીએ  છીએ  તે  આ  પ્રોગ્રામ  કરેલ  વિચારજાળ  સિવાય  બીજું  કશું નથી. કૃષ્ણમૂર્તિ  દર્શાવે  છે  કે  સાચી  સ્વતંત્રતા, જેની આપણને  સહુને ઝંખના  છે  તે  ખરેખર  તો  આ  બન્ધિયારપણામાંથી મુક્ત થવાની  છે.

મૂળ અંગ્રેજી શીર્ષક : The Network of Thought
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : ડૉ. હરીશ વ્યાસ |  પૃષ્ઠો : ૧૬૭
અન્ય ભાષામાંની આવૃત્તિ: મલયાલમ

Also available in