અવધાનની જ્યોત
એવું શું છે જે આપણને પીડા આપે છે ? એ એક છબી છે , છાપ છે જે માણસે પોતાના માટે ઘડી છે . જો કોઈ વ્યક્તિ આ બધી છાપમાંથી મુક્ત થઇ શકે તો પછી કોઈ પીડા નહીં , કોઈ પ્રશંસા નહીં . એટલે જ આપણે પૂછીએ છીએકે આ છબી જે બાળપણથી કંડારવામાં આવી છે, વિચારો , સ્મરણો , પ્રત્યાઘાતો , પીડા અને દુઃખ થકી , તેનો અંત આવી શકે.
તમે તમારી જાતને જ સવાલ પૂછો કે તમે આ છબી કે છાપમાંથી પૂર્ણપણે મુક્ત થઇ શકો તેમ છો ?
કૃષ્ણમૂર્તિના ૧૯૮૧ અને ૧૯૮૨ માં અપાયેલા નવ પ્રવચનો અહીં ગ્રન્થસ્થ કરવામાં આવ્યા છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : The Flame of Attention
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : હર્ષદ મ. દવે


