જીવનમીમાંસા – ૧
₹300.00
આલ્ડસ હક્સલીએ કૃષ્ણમૂર્તિને આ વિવરણો લખવા માટે પ્રોત્સાહિત કર્યા, જે વિશ્વના વિવિધ ભાગોમાં કૃષ્ણમૂર્તિ જે બધા સામાન્ય લોકોને મળ્યા તેઓ સાથેના સંવાદોની શ્રેણી છે. ભારત, યુરોપ અને અમેરિકામાંના વિભિન્ન કુદરતી સ્થળોએ ગોઠવાયેલી આ ચર્ચાઓ ઉત્કટ તથા પ્રદીપક બંને છે.
જીવન વિષે વિવરણ શ્રેણી તદ્દન નવીન લેખનશૈલી દર્શાવે છે – પ્રકૃતિ, તત્ત્વજ્ઞાનનું ચિંતન અને માનસશાસ્ત્રીય અંતર્દષ્ટિનાં ભાવાત્મક વર્ણનોનો સમન્વય, જે ઊંડી ધાર્મિક સંવેદનશીલતાની સમજણ થકી પ્રેરિત છે તેમ જ સ્પષ્ટ અને તલ્લીનકારી ગદ્યમાં વ્યક્ત થયેલો છે.
મૂળ અંગ્રેજી શીર્ષક : Commentaries on Living – Series 1
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | અનુવાદક : હીરાલાલ બક્ષી | પૃષ્ઠો : ૨૫૮
અન્ય ભાષામાંની આવૃત્તિ: હિંદી, કન્નડ, મરાઠી, ઓરિયા, તેલુગૂ


