પ્રજ્ઞાનાં પગરણ

એક  રીતે  આ  દુનિયા  ઠગારી  છે . રાજકારણીઓ ભ્રષ્ટ છે , પૈસા ની પાછળ  દોડનારા  છે . જો  તમે  પૂર્ણપણે શિક્ષિત  નહીં હોય તો તમે  એમાં  ગરક  થઈ જશો . તો  શિક્ષણ  શું  છે ? વર્તમાન  વ્યવસ્થામાં ગોઠવાઈ  જવામાં  મદદ  કરે તે કે  પછી  બધું  વિખેરી  નાખે  તે  ? કૃષ્ણમૂર્તિએ   મોટા  વિદ્યાર્થીઓને  પૂછેલા  આ  અને  આવા  અનેક  પ્રશ્નો  પ્રસ્તુત  પુસ્તકમાં  સંચિત  છે . મુખ્યત્વે  આ  વાર્તાલાપો  ૧૯૭૦ માં  તેમને  ઇંગ્લેંડમાં  સ્થાપેલી  બ્રોકવુડ  પાર્ક  સ્કૂલમાં  થયેલા  છે . આ  જીવંત  અને  આત્મીય  સંવાદો વ્યવહારુ  પણ  છે . જે  દૈનંદિન  જીવનને  પણ  સ્પર્શે  છે  અને  આધ્યાત્મિક  બાબતોને  પણ પુસ્તકના  દ્વિતીય  ભાગમાં  શિક્ષકો  અને  માતાપિતા  સાથેનો  સંવાદ  છે . સંદર્ભ કોઈ પણ  હોય, કૃષ્ણમૂર્તિ  જિજ્ઞાસા અને  જાગૃતિ  થકી  શિક્ષણ  પ્રાપ્તિ  ને  મહત્વ  આપે  છે .

મૂળ અંગ્રેજી શીર્ષક : Beginnings of Learning
પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય |  અનુવાદક : બાલકૃષ્ણ વૈદ્ય |  પૃષ્ઠો : ૩૪૩

Also available in