નૂતન પ્રકાશન – જે. કૃષ્ણમૂર્તિ: જીવનચરિત્ર

જે. કૃષ્ણમૂર્તિ : જીવનચરિત્ર

આપણા  સમયના  મહાન આધ્યાત્મિક  દ્રષ્ટાનું  જીવનચરિત્ર
૧૯૦૯માં, જયારે  કૃષ્ણમૂર્તિ  માત્ર  ચૌદ  વર્ષના  હતા  ત્યારે  તેમનામાં  વિશ્વના  જગતગુરુ  કરુણાસભર  બોધિસત્વ  મૈત્રેયનું  અવતરણ  થવાનું  છે  તેવી  ઘોષણા  કરવામાં  આવી  હતી. આ  ઘોષણા  એની બેસન્ટ  દ્વારા  કરવામાં  આવી  હતી . તેઓ  તે  વખતે થિયોસોફીકલ સોસાયટીના  પ્રમુખ  હતા . થિયોસોફીકલ સોસાયટી  બૌદ્ધ  અને  હિન્દુ  શિક્ષણનો  સમન્વય કરી તેને  ગૂઢ  પાશ્ચાત્ય  તત્વજ્ઞાન  સાથે  સાંકળતું  અભિયાન  છે . એની  બેસન્ટે  કૃષ્ણમૂર્તિને  તેની  પૂર્વઘોષિત  જગતગુરુની  ભૂમિકા  માટે  તાલીમ  આપી . પરંતુ  વીસ  વર્ષ  પછી  તેમને  તેઓ  જે  સંસ્થાના  વડા  હતા  તેને  વિખેરી  નાખી  અને  ત્યારબાદ  તેમણેસાવ એકલા  જ   પોતાની  અનંત યાત્રા  પ્રારંભ  કરી…

કૃષ્ણમૂર્તિના  સમકાલીન   અને  તેમના  અત્યંન્ત નિકટના  સાથી  પુપલ  જયકર  આ  અસાધારણ  વ્યક્તિના  મનોવેધક  જીવન  અને  વિચારો  પર  અંતરંગ  આલેખન  પ્રસ્તુત  કરે  છે…

‘જીવિત  માણસોમાં  કૃષ્ણમૂર્તિ  સિવાય  બીજું  કોઈ  નથી  જેને  મળવાને  હું  (કૃષ્ણમૂર્તિને  મળવા  કરતા ) અધિક  સૌભાગ્યપૂર્ણ  બાબત  ગણું  .’
– હેનરી  મિલર
એ  વ્યક્તિ  અને  તેમના  બોધ  પર  અદ્વિતીય  ગ્રન્થ
– રાલ્ફ  બુલ્ટજેન્સ

મૂળ અંગ્રેજી શીર્ષક : J.Krishnamurti : A Biography   (by Pupul Jayakar)
અનુવાદક:  હર્શદ દવે   |  પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય | પૃષ્ઠો : ૬૨૫ | કીંમત: રુ. ૬૫૦ /-