Archives of Past-gu

‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન, ૨૦૧૭

કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી ‘શિક્ષક હોવું એટલે શું?’ એક કાર્યશાળાનું આયોજન કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન ઇંડિયા, મુંબઇ વતી, બૉમ્બે કેમ્બ્રિજ સ્કૂલના સહયોગથી તારીખ ૭,૮,૯ જુલાઇ, ૨૦૧૭ આ ત્રણ દિવસો દરમ્યાન અંધેરીમાં માધ્યમિક શિક્ષકો માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિષય હતો, ‘શિક્ષક હોવું એટલે શું?’ અને નિમિત્ત હતું આ શાળાના રૌપ્યમહોત્સવના […]

કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન મરાઠી સંમેલન, ૨૦૧૬

કૃષ્ણમૂર્તિ ફાઉંડેશન દ્વારા કૃષ્ણમૂર્તિ અધ્યયન કેન્દ્ર, સહ્યાદ્રીમાં ૧૫ થી ૧૭ ઓકટોબર, ૨૦૧૬ દરમ્યાન મરાઠી સંમેલન ભરાયું હતું, જે માટે ચિંતન વિષય હતો, ‘જે. કૃષ્ણમૂર્તિના કેળવણી-વિચારો અને આજનું જગત’. આ સંમેલનમાં પ્રસિધ્ધ લેખક અને કેળવણીના ક્ષેત્રમાં કાર્યરત એવા શ્રી હેરંબ કુલકર્ણી, કૃષ્ણમૂર્તિના ડૉકટર શ્રી પરચુરે, સહયાદ્રી કેન્દ્રના ડાયરેકટર શ્રી શૈલેશ શિરાળી અને શ્રી વિનય દાભોળકરે કૃષ્ણમૂર્તિના […]

મુંબઈમાં કેળવણીકારો માટે કેળવણી વિષય પર પરિસંવાદનું આયોજન, ૨૦૧૫

મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ૨૦ માર્ચ, ૨૦૧૫ ના રોજ કેળવણીકારો માટે કેળવણી વિષય પર એક પરિસંવાદનું આયોજન થયું હતું. ઘણા લાંબા સમયથી શિક્ષકો માટે એક એવા કાર્યક્રમની જરૂર જણાતી હતી કે જે વર્તમાન યુગના ઝડપથી બદલાતા જતા, ખાસ કરીને મુંબઈ જેવા મહાનગરોના સમાજને અનુરૂપ હોય તથા જે નવા પડકારોને પહોંચી વળી શકે તેવો અભિગમ શોધી […]