પોતાના મૃત્યુનાં ઘણાં વર્ષો પૂર્વે કૃષ્ણમૂર્તિએ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સાથે શાળાઓમાં નવયુવાનોને જે કાંઈ કરાવવામાં આવી રહ્યું હતું તેનાથી આગળ વધીને કશુંક કરવાની શક્યતા વિષે વાત કરી હતી. તેઓ એવા કેન્દ્રો બનાવવા માગતા હતા જ્યાં પુસ્તકો, વિડિઓ અને ઓડીઓ ટેઇપ્સ હોય,અને અભ્યાસ તેમ જ પરામર્શ માટે અનુકૂળ વાતાવરણ હોય.
અભ્યાસ કેન્દ્રો રાજઘાટ (વારાણસી), ગઢવાલ હિમાલયમાં ઉત્તરકાશી, સહ્યાદ્રી, બેંગલુરુ, ઋષિ ખીણ, કલકત્તા અને કટકમાં સ્થાપવામાં આવ્યાં છે. આમાંની ઘણીબધી જગ્યાઓ અસાધારણ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિથી સભર છે તથા કૃષ્ણમૂર્તિના બોધના પ્રકાશ હેઠળ પોતાની જાતના અભ્યાસ માટે અનુકૂળ છે.
આ કેન્દ્રો આખા વર્ષપર્યંત અનેક શાળાઓ, કૉલેજો અને જનસાધારણ સાથે કાર્યક્રમો અને સંવાદો થકી સંપર્કમાં રહે છે.
અભ્યાસ કેન્દ્રો રાજઘાટ (વારાણસી), ગઢવાલ હિમાલયમાં ઉત્તરકાશી, સહ્યાદ્રી, બેંગલુરુ, ઋષિ ખીણ, કલકત્તા અને કટકમાં સ્થાપવામાં આવ્યાં છે. આમાંની ઘણીબધી જગ્યાઓ અસાધારણ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિથી સભર છે તથા કૃષ્ણમૂર્તિના બોધના પ્રકાશ હેઠળ પોતાની જાતના અભ્યાસ માટે અનુકૂળ છે.
આ કેન્દ્રો આખા વર્ષપર્યંત અનેક શાળાઓ, કૉલેજો અને જનસાધારણ સાથે કાર્યક્રમો અને સંવાદો થકી સંપર્કમાં રહે છે.




